મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહને લઇને ગુરૂવારે હાઇકોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનવણી થઇ. હાઇકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધર અને જસ્ટિસ અનુરાધા શુક્લાની બેન્ચ દ્વારા સુઓમોટુ અરજીની સુનાવણી કરવામાં આવી હતી. એડવોકેટ જનરલ દ્વારા એફઆઈઆર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે FIRના ડ્રાફ પર નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે સૌપ્રથમ FIR નોંધવામાં લાગેલા સમય પર સવાલ ઉઠાવતાં કહ્યું કે જ્યારે 4 કલાકમાં FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો 8 કલાક કેમ લાગ્યા?

