ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન અમદાવાદથી લંડન (ગેટવિક) જઈ રહ્યું હતું. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. આ અકસ્માત અંગે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુ પાસેથી રાજીનામાની માંગ કરી છે. આ દરમિયાન તેમણે 1950ના દાયકામાં રેલ્વે અકસ્માત બાદ લાલ બહાદુર શાસ્ત્રીએ રાજીનામું આપ્યું તેનું ઉદાહરણ પણ આપ્યું.

