સુરત શહેરના કપોદ્રા વિસ્તારમાં પાણી પીધા બાદ 100થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં 100થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં તેઓ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

