IPL 2025 પૂરી થયા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે, જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝ રમાશે. આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ નથી થઈ. ટીમને ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની અંડર 19 ટીમ જાહેર કરવામાં આવી છે. આ પ્રવાસ પર, ભારતીય ટીમ 24 જૂનથી 23 જુલાઈ સુધી એક વોર્મ-અપ, પાંચ વનડે અને બે મલ્ટી-ડે મેચ રમશે. આ પ્રવાસ માટે 17 વર્ષીય આયુષ મ્હાત્રેને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવ અને આયુષ બંનેએ IPLમાં ધૂમ મચાવી છે.

