તુર્કીએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સાથે કોઈપણ જોડાણનો ઇનકાર કર્યો છે. અકસ્માતગ્રસ્ત એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનરના જાળવણી સાથે તુર્કી કંપનીનું નામ જોડવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે તુર્કીએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. એક નિવેદનમાં, કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટના સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિસઇન્ફોર્મેશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટર્કિશ ટેકનિક દ્વારા વિમાનની સેવા આપવામાં આવી હોવાનો દાવો ખોટો છે.

