Vadodara news: વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક માંડવી જર્જરિત થતા તિરાડો પડવા લાગી છે, જેથી હંગામી રીતે તેમાં લોખંડના પિલ્લર મૂકવામાં આવ્યા છે. ત્યારે માંડવીની નજીક માં આવેલા શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસજી મેદાને આવ્યા, અને જ્યાં સુધી માંડવીનું સમારકામ ન થાય ત્યાં સુધી પગરખાં નહિ પહેરવાનો નિર્ણય લીધો છે. માંડવી દરવાજો વડોદરા શહેરની શાન ગણાય છે, જેના કાંગરા ખરી પડતા સૌ કોઈ ચિંતિત છે ત્યારે આ કરુણ દશાથી ધાર્મિક સંસ્થાના પૂજારી વ્યથિત થયા છે અને પગરખાં નહિ પહેરવાનો નિર્ણય કર્યો હતો.

