Ahmedabad news: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ સહિત અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા હોવાનું સામે આવી રહ્યું છે. જેથી તંત્ર અને સરકાર માટે આ મુદ્દો માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. રાજ્યમાં એકથી બે દિવસથી ત્રણથી ચાર લાંચ લેવાના કિસ્સા પ્રકાશમાં સામે આવતા હોય છે. જેથી પ્રજાનો ભરોસો સરકાર અને તંત્ર તરફથી ઓછો થતો જાય છે. અમદાવાદ શહેરના બોપલમાં જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવાના કામ માટે 5 લાખની લાંચ લેતા લાયસન્સી સર્વેયર સહિત ત્રણ શખ્સો એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાઈ ગયા હતા. સર્વેયર ગૌતમ યાજ્ઞિક, દલાલ નવઘણ ડોડિયા અને મનીષ પગીની ધરપકડ કરીને એસીબીએ આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

