ઝડપભેર વિકસી રહેલા અમદાવાદ શહેરમાં વાહનોની ગતિ માપવી મુશ્કેલ થઈ ગઈ હોય તેવું અનેક વખત લાગે છે. અમદાવાદ શહેરમાં 30 ટકા જીવલેણ અકસ્માતો રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોના કારણે થાય છે. તાજેતરમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે કરેલા એક રિસર્ચમાં એવી વિગતો ખુલી છે કે છેલ્લા સવા બે વર્ષમાં 1038 સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા તે માટે રસ્તાઓની ફોલ્ટી ડિઝાઈન અને ગેરકાયદે કટ પણ કારણભૂત હતા. સાથે જ રસ્તા ક્રોસ કરવા માટે ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ દ્વારા ઉતાવળ જીવલેણ બની રહી છે.

