ભારત અને પાકિસ્તાનના તણાવની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા કેટલીક ટ્રેન અને ફ્લાઈટને રદ્દ કરવામાં આવી છે. PoK સ્થિત આતંકી અડ્ડાઓ પર ભારતના હુમલા બાદ પાકિસ્તાને ડ્રોન તથા મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા ગુજરાત, રાજસ્તાન, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક સરહદી વિસ્તારો પ હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે તંત્ર દ્વારા કેટલીક ટ્રેન તથા ફલાઈટને રદ્દ કરવામાં આવી છે.

