અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સિવિલ હોસ્પિટલમાં ભડથું થયેલા મૃતદેહના ખડકલા થયા છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમ અને DNA સેમ્પલ લીધા બાદ તેને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવે છે પરંતુ સિવિલ સહિતની સરકારી હોસ્પિટલોમાં કોલ્ડ સ્ટોરેજમાં અપૂરતી વ્યવસ્થાથી સવાલો ઉભા થયા છે. હાલ અસારવા સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં 36ની ક્ષમતા છે અને તેની સામે 266 જેટલા મૃતદેહો છે.

