Ahmedabad Plane Crash: આજથી એક અઠવાડિયા અગાઉ એટલે કે, ગુરુવારે 12મી જૂન સમગ્ર દેશ માટે ગોઝારી સાબિત થઈ હતી. અમદાવાદથી લંડન સીધી નોન સ્ટોપ ફલાઈટ જ્યારે ટૅક્ ઑફના થોડીક સેકન્ડમાં ઉડતું મોત બનીને બી.જે.મેડિકલ કૉલેજના કેમ્પસમાં ધરાશાયી થાય છે ત્યારે વિમાનમાં સવાર તો મૃત્યુ પામે છે પરંતુ અગનગોળો બનેલું આ હતભાગી વિમાને હૉસ્ટેલની મૅસમાં પણ ભારે ખુવારી સર્જી હતી. આ હતભાગી વિમાન અકસ્માતમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું. તેઓ લંડન જઈ રહ્યા હતા.

