Ahmedabad plane crash: આજથી એક દિવસ અગાઉ એટલે કે, ગુરુવારે 12મી જૂન સમગ્ર દેશ માટે ગોઝારી સાબિત થઈ હતી. અમદાવાદથી લંડન સીધી નોન સ્ટોપ ફલાઈટ જ્યારે ટૅક્ ઑફના થોડીક સેકન્ડમાં ઉડતું મોત બનીને બી.જે.મેડિકલ કૉલેજના કેમ્પસમાં ધરાશાયી થાય છે ત્યારે વિમાનમાં સવાર તો મૃત્યુ પામે છે પરંતુ અગનગોળો બનેલું આ હતભાગી વિમાને હૉસ્ટેલની મૅસમાં પણ ભારે ખુવારી સર્જી હતી. આ હતભાગી વિમાન અકસ્માતમાં વડોદરાના નેન્સીબેનનું પણ મોત થયું હતું. તેઓ પોતાની બે વર્ષની દીકરીની બાબરી વિધિ પૂર્ણ કરી લંડન જઈ રહ્યા હતા.

