ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા શાંતિપૂર્વક યોજાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમાં મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રથયાત્રામાં અમદાવાદ શહેરના 17500 પોલીસકર્મીઓ તેમજ 2500 જેટલા પેરામિલિટરી ફોર્સના જવાો તેમજ અન્ય સુરક્ષા કર્મીઓ સહિત 20 હજાર લોકોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રા રૂટ પરના 3200 જેટલા CCTV અને ખાસ સોફ્ટવેરની મદદથી ભીડ પર નજર રાખવામાં આવશે. તેમજ રથયાત્રામાં 70થી વધુ ડ્રોનથી પણ લાઇવ ફીડ મેળવીને નજર રાખવામાં આવશે.

