22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું હતું. ત્યારે આજે ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો છે. જેથી આ હુમલાથી સરકારે બદલો લીધો હોવાની લાગણી વ્યક્ત કરતાં મૃતકના પત્નીએ કહ્યું કે, મારા પતિના આત્માને શાંતિ મળશે.

