BCCIએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે.યુવા બેટ્સમેન શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટન્સી સોપવામાં આવી છે જ્યારે મોહમ્મદ શમી અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. બીજી તરફ ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ફરી એક વખત નજરઅંદાજ કરવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડ સામે ભારતની યુવા ટેસ્ટ ટીમની જાહેરાત થતા જ ફેન્સ પૂજારા અને રહાણેની ક્રિકેટ કરિયરનો અંત માની રહ્યાં છે.

