થોડા દિવસો અગાઉ ગોંડલમાં ભારે રાજકીય માહોલ ગરમાયો હતો. સુરતના પાટીદાર યુવા અગ્રણી અને ગણેશ ગોંડલ વચ્ચે તુંતું..મે મે બાદ ત્યાં મુલાકાતે ગયેલા અલ્પેશ કથિરીયા સહિતનાનો વિરોધ કરાયો હતો. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સમાજ દ્વારા અલ્પેશ કથીરિયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમના પ્રવચનમાં તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે તેઓ હવે પૂર્વ તરફના રાજકીય પ્રહારો અને સમાજમાં ચાલી રહેલા આંતરિક વિવાદોને પડકારરૂપ સ્વીકારી મજબૂત રણનીતિ સાથે આગળ વધશે.

