Home / Gujarat / Banaskantha : Air cooler and buttermilk distribution facility in Ambaji for devotees in the heat

કાળઝાળ ગરમીમાં શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ અંબાજીમાં એર કુલર અને છાશ વિતરણની સુવિધા

કાળઝાળ ગરમીમાં શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ અંબાજીમાં એર કુલર અને છાશ વિતરણની સુવિધા

ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવને લઈને ઍલર્ટ જાહેર કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા માટે ઍર કુલર અને પીવાના પાણી સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતી હોય છે. આ દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે અંબાજી મંદિર ખાતે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાંથી આવતી યાત્રાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દર્શનાર્થીઓને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે મંદિર ખાતે ઠેરઠેર ઍર કુલર, પીવાના પાણી અને નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે.  

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી સેવાનો દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. આ મામલે અધી કલેક્ટરે જણાવ્યું હતું કે, 'અંબાજી મંદિરના દર્શન કરવા માટે આવતા ભાવિભક્તોને ગરમીમાં છાયડો અને રાહત મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.'

 

Related News

Icon