Anand News: આણંદ સુપર માર્કેટને ખાલી કરવા આણંદ મનપાએ નોટિસ આપી છે. આણંદ શહેરના મુખ્ય બજારમાં 350થી વધુ દુકાનો ખાલી કરવા તંત્રએ નોટિસ આપી છે. થોડા સમય પૂર્વ સુપર માર્કેટનો સ્લેબ તૂટી પડ્યો હતો. શહેરના મુખ્ય રેલ્વે સ્ટેશન પાસે મનપાની માલિકીની દુકાનોના લીઝ ધારકોને નોટિસ મળતા ચકચાર મચી જવા પામી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે.

