Ankleshwar News: ગુજરાતભરમાંથી સતત ગેસ ગળતરની ઘટના સામે આવી રહી છે એવામાં ભરુચમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી છે. ભરુચ જિલ્લામાં અંકલેશ્વર શહેરમાં ધામરોડ પાસે આવેલી મંગલમૂર્તિ કંપનીમાં આ દુ:ર્ઘટના થઈ હતી. કંપનીના રિએક્ટરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન બે કામદારોને ગેસ લાગતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યા હતા.

