અમદાવાદથી લંડન જતી એક વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ વિમાનમાં અરવલ્લી જિલ્લાના ત્રણ મહિલાઓ મુસાફરી કરી રહી હતી. અકસ્માતના સમાચાર મળતા તેમના વતન વિસ્તારના લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે પરિવારજનો તેમના સંપર્કમાં આવવાના સતત પ્રયાસ કરી રહ્યા છે.

