પાકિસ્તાન ભારત સામે ઝેર ઓકવાની કોઈ તક છોડતું નથી. હાલમાં જ એક જાહેર કાર્યક્રમમાં પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ સૈયદ આસિમ મુનીરે ભારત અને હિન્દુઓ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન બંને અલગ દેશ છે. હિન્દુઓ પાકિસ્તાનથી તદ્દન અલગ છે. આપણા દેશની ગાથા આપણે આપણી ભાવિ પેઢીઓને સંભળાવવાની છે.

