ભારતના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) તાજેતરમાં તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) 2025ની એક મેચમાં ગુસ્સે ભરાયો હતો, જેના કારણે તેને ભારે કિંમત ચૂકવવી પડી હતી. ડિંડીગુલ ડ્રેગન્સની કેપ્ટનશિપ કરી રહેલા અશ્વિન (Ravichandran Ashwin) ને એક વિવાદાસ્પદ નિર્ણય બાદ મેદાન પર પોતાની લાગણીઓને કાબૂમાં ન રાખવા બદલ સજા આપવામાં આવી છે. આ ઘટના 8 જૂને આઈડ્રીમ તિરુપ્પુર તમિઝન્સ સામે રમાયેલી મેચ દરમિયાન બની હતી.

