જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર કડક વલણ અપનાવ્યું છે. ભારતે પાકિસ્તાન સાથે સિંધુ નદીના પાણીનો પ્રવાહ બંધ કરી દીધા બાદ પાકિસ્તાનની સ્થિતિ માથાભારે થઈ ગઈ છે. પાકિસ્તાન અવારનવાર આ કરાર અંગે ભારતને ખોખલી ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાને હવે ભારતમાં ભય ફેલાવવા માટે એક નવું જૂઠાણું ફેલાવ્યું છે કે, સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાના જવાબમાં અમારો મિત્ર દેશ ચીન ભારતમાં બ્રહ્મપુત્ર નદીના પાણીનો પ્રવાહ રોકી શકે છે. હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ ધમકીનો જવાબ તથ્યો સાથે આપ્યો છે, જે પાકિસ્તાનની આંખો ખોલી નાખશે.

