દાહોદ જીલ્લામાં દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના બધાય કામો મંત્રીપુત્રોની એજન્સી શ્રી રાજ ટેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યાં હતાં. આ બંને એજન્સીઓએ પિતાના રાજકીય વગનો ઉપયોગ કરીને ધૂમ ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ મુદ્દે મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ કરાઈ છે.એટલું જ નહી વિધાનસભામાં મુદ્દો ઉછળ્યો હતો. આમ છતાંય સરકારના પેટનું પાણી હાલ્યુ ન હતુ. આખરે તપાસના આદેશ અપાયા હતાં. કોંગ્રેસે કરેલી તપાસમાં એવા તારણો બહાર આવ્યાં કે, જે તે સ્થળે ગ્રામ વિકાસ એજન્સીના નામે મનરેગાના કામો થાય છે તેવા બોર્ડ લગાવી દીધા હતાં.

