Mahisagar news: મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે રોડ પર ઠેર-ઠેર ખાડા પડી જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેથી બાલાસિનોરના વડદલા ગામના લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર રજૂઆત કરવા છતાં રસ્તા પરના ખાડા નહોતા પૂર્યા જેથી આખરે સ્થાનિકો રોષમાં આવીને બાલાસિનોરથી અમદાવાદ જતા રસ્તા પર લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે ઘટનાસ્થળે આવી રસ્તાને ખુલ્લો કરાવી દીધો હતો. આમ છતાં ગ્રામજનોએ નેશનલ ઓથોરિટીને 10 દિવસમાં ખાડા નહિ પુરાય તો ફરી મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

