બનાસ ડેરીએ બનાસદાણમાં 80 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેનાથી પશુપાલકોને વર્ષે દહાડે પશુ દાણની ખરીદીમાં થતા ખર્ચમાં 95 કરોડ રૂપિયાનો ફાયદો થશે. ચેરમેન શંકરભાઈ ચૌધરી અને નિયામક મંડળે મહત્વનો નિર્ણય લેતાં બનાસદાણની પ્રતિ બેગ રૂપિયા 80નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બનાસદાણમાં ભાવ ઘટાડાથી પશુપાલકોને પશુપાલનમાં ખર્ચમાં પણ ઘટાડો થશે.

