Bengaluru Stampede: આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીત બાદ બેંગલુરુમાં ઉજવણી કરાઈ હતી. પરંતુ સ્ટેડિયમની બહાર 11 લોકોના મૃત્યુ છતાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર જે રીતે ઉજવણી ચાલુ રહી તે અસંવેદનશીલતાની ચરમસીમા હતી. જો કે, ઘટનાના કેટલાક કલાકો બાદ આરસીબી અને વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો. આ ઘટનાને લઈને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે માફી માગતા કહ્યું કે, 'આવું ન થવું જોઈતું હતું અને અમને આશા નહતી કે, આટલી મોટી ભીડ થશે.'

