ભારતના જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા પછી સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાંથી ઘૂસણખોરોને ઝડપીને પરત મોકલવામાં આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાંથી ઝડપાયેલા 300 ઘુસણખોર બાગ્લાદેશીઓને ખાસ વિમાનમાં રવાના કરાયા છે.

