પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઇ છે. રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને સરેન્ડર કરવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે. અમદાવાદ અને સુરત પોલીસે એક જ રાતમાં 1000થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે.

