સુરતમાં ખાડી પૂરના કારણે દર વર્ષે લાખો લોકો અસરગ્રસ્ત થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આ વર્ષે પણ સુરતમાં ખાડી પૂર આવ્યા બાદ લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે. સુરતમાં ખાડી પૂરમાં લોકો પ્રભાવિત છે. પરંતુ રાજકારણીઓ રાજકારણ રમીને બખેડો કરી રહ્યાં છે. તેથી લોકોનો રોષ રાજકારણીઓ સામે વધી રહ્યો છે. અસરગ્રસ્ત લોકોમાં રોષ એટલી હદે વધ્યો છે કે ખાડી પૂરની સમસ્યા દુર ન થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહી. આ વર્ષે પણ ખાડી પૂરની સમસ્યા આગામી પાલિકાની ચૂંટણીમાં વિષય બને તેવી શક્યતા નકારી શકાતી નથી.

