સુરતના ડુમસ વિસ્તારમાં શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સભ્યો માટે સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે સામાજિક આગેવાન દિપક ઇજારદારે હાજરી આપી હતી. સમારંભ દરમિયાન ખેતીની જમીનના હેતુ ફેરફારને લઈને નોંધપાત્ર ચર્ચા થઈ હતી. ખેડૂતોના હિત માટે દિપક ઇજારદારે કહ્યું કે, ડુમસ, ભીમપોર, આભવા, સુલતાનબાદ અને ખજોદ જેવા વિસ્તારોમાં ખેતીલાયક સરકારી જમીનનો હેતુફેર કરી તેમાં ઝીંગા તળાવ ઉભા કરવામાં આવ્યા છે, જેના પાછળ મોટા મોઢા અંગત લાભો મેળવવાની કોશિશ કરી રહ્યા છે.

