બિહારમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને ભારે રાજકારણ શરૂ થઈ ગયું છે. અગાઉ ચૂંટણી પછી એનડીએમાંથી મુખ્યમંત્રી કોને બનાવવા, તેના પર રાજકારણ ચાલ્યું હતું, ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી પદ માટે રાજકારણ શરૂ થઈ ગયું છે. ચૂંટણી પછી નીતીશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવા પર મહોર વાગી ગઈ છે, ત્યારે હવે ચિરાગ પાસવાને નાયબ મુખ્યમંત્રી પદ માટે દાવો કરી એનડીનું ટેન્શન વધારી દીધું છે.

