ગુજરાતમાં નકલીની બોલબાલા ઠેર ઠેર જોવા મળે છે. ત્યારે સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ-૨ સોસાયટીમાં અચાનક કેટલાક મકાનોની દિવાલો પર ડિમોલીશનની નોટિસો લગાવવામાં આવી છે., જેના પગલે સ્થાનિક રહીશો ભયમાં આવી ગયા છે. ભારે ઊહાપોહ વચ્ચે હકીકત બહાર આવી છે કે આ નોટિસો નકલી છે – ન તો મનપા દ્વારા બહાર પાડવામાં આવી છે કે ન પોલીસનો તેમાં કોઈ રોલ છે.

