
IPL 2025 બાદ ભારત પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ સીરિઝ જૂનથી ઓગસ્ટ સુધી રમાશે. હવે આ સીરિઝ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારત સામે આ સીરિઝ પહેલા ફાસ્ટ બોલર ઓલી સ્ટોન ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને તેના માટે આ સીરિઝ રમવું મુશ્કેલ થઈ ગયું છે. આ સમાચારથી ઈંગ્લેન્ડ અને તેની કાઉન્ટી ટીમ નોટિંઘમશાયરને મોટો ઝટકો લાગ્યો છે.
ENG Vs IND ટેસ્ટ સીરિઝ પહેલા આ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત
ભારત સામેની આગામી ટેસ્ટ સીરિઝને ધ્યાનમાં લેતા 31 વર્ષીય ઓલી સ્ટોનને ઘૂંટણની ઈજા અને સર્જરી ઈંગ્લેન્ડ અને નોટિંઘમશાયર બંને માટે એક મોટો ઝટકો છે. તેની પાસે આંતરરાષ્ટ્રીય સ્તર પર યોગદાન આપવાની સંપૂર્ણ ક્ષમતા છે પરંતુ તેને વારંવાર ફિટનેસ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે નુકસાનકારક છે. તેણે અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે. તે છેલ્લે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શ્રીલંકા સામે ટેસ્ટ રમ્યો હતો.
14 અઠવાડિયા સુધી આરામ કરવો પડશે
અત્યાર સુધીમાં તે ટેસ્ટમાં 17 વિકેટ ઝડપી ચૂક્યો છે. સ્કેનિંગ દ્વારા ખબર પડી કે તેને સર્જરીની જરૂર પડશે, જે આ જ અઠવાડિયે થશે. સર્જરી બાદ 14 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ મળી છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને નોટિંઘમશાયરની મેડિકલ ટીમ તેની ઈજા પર નજર રાખી રહી છે. હવે એવું માનવામાં આવે છે કે ભારત સામે ઈંગ્લેન્ડના પેસ આક્રમણ પર આની મોટી અસર પડશે. ખાસ કરીને જ્યારે માર્ક વુડ અને બ્રાયડન કાર્સે જેવા અન્ય ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત હોય.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. આ સીરિઝની પ્રથમ ટેસ્ટ 20થી 24 જૂન સુધી લોડ્સમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન બર્મિંઘમમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન લંડનમાં રમાશે. ચોથી ટેસ્ટ મેચ 23થી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં અને પાંચમી ટેસ્ટ મેચ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન લંડનમાં રમાશે.