વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ, જેમાં 3 લોકોનાં મોત થયાં અને 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ ઘટનાને માનવસર્જિત દુર્ઘટના ગણાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ
ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આ દુર્ઘટનાને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી. ગઢવીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી સરકારના ભ્રષ્ટાચારને કારણે અનેક લોકોનાં મોત થયાં છે.