રાજકોટ સિટી બસ દ્વારા અકસ્માત મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અકસ્માત સર્જનાર ડ્રાઇવર શિશુપાલસિંહનું ડ્રાઇવિંગ લાયસન્સ જ એક્સપાયર થયેલ હોવાનું સામે આવ્યું છે. ડ્રાઇવરને વગર લાયસન્સે સીટી બસ ચલાવવાનો પીળો પરવાનો કોણે આપ્યો? લોકો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ મુજબ અકસ્માત મામલે પીએમઆઈ એજન્સી સંપૂર્ણ જવાબદાર છે. શું આ મુદ્દે કોર્પોરેશન કમિશનર પગલાં લેશે?

