આવકવેરા વિભાગે વિદેશી ભંડોળથી ચાલતા પાંચ એવા એનજીઓનો પર્દાફાશ કર્યો છે જે દેશમાં વિકાસ કાર્યોમાં અવરોધો ઉભી કરી રહ્યા હતા. દેશના વિકાસને નવી ગતિ આપી રહેલા અદાણી ગ્રૂપ સહિતની જાણીતી કંપનીઓના પ્રોજેક્ટસમાં અવરોધ ઉભા કરવા એ જ તેમનું લક્ષ્ય હતું. આવકવેરા વિભાગે 7 સપ્ટેમ્બર 2022ના રોજ 5 એનજીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં ઓક્સફામ, સીપીઆર, એનવીઓનિક્સ ટ્રસ્ટ, લાઇફ અને સીઆઇએસએસડીનો સમાવેશ થાય છે.

