વૈશ્વિક બજારોમાં ઘટાડાને પગલે ચોથી માર્ચે ભારતીય શેરબજારો પણ ઘટાડે બંધ રહ્યા હતાં. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદવાની તેમની યોજનાનો પુનરોચ્ચાર કર્યો છે. આ કારણે ભારત સહિત વિશ્વભરના બજારોમાં સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. આ ઉપરાંત, વિદેશી રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા સતત વેચવાલીથી પણ બજાર પર નકારાત્મક અસર પડી છે.

