Narmada News: દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના દાભવણ ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હાજરી આપી હતી. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતમાં અસુવિધા બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર પ્રવેશોત્સવ કરાવી રહી છે પરંતુ ગુજરાતની હજારો શાળાઓ માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે.

