અમદાવાદનું ચંડોળા તળાવ ડેવલપ કરવા રાજ્ય સરકારે AMCને સોપ્યું હતું. વર્ષોથી આ તળાવમાં ગેકાયદેસર બંગલા, રિસોર્ટ અને અંદાજે 2 હજાર ઝૂંપડાના દબાણ AMCની રહેમ નજર હેઠળ ફૂલ્યા ફાલ્યા હતા. સામાન્ય માનવીના ઓટલા તોડી પાડતા કોર્પેરેશનના વિભાગે ચંડોળા તળાવમાં થતાં ગેરકાયદે બાંધકામોને નજર અંદાજ કર્યા હતા, વર્ષ 2024માં આશરે 10.96 લાખ સ્કવેર મીટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવને ડેવલપ કરવા AMC તરફથી 20 કરોડનું ટેન્ડર બહાર પડાયું હતું.

