અમદાવાદ અને રાજકોટમાં દબાણ હટાવની કામગીરી ફરી શરૂ થવા જઈ રહી છે. જેમાં અમદાવાદના પૂર્વમાં આવેલા ચંડોળા તળાવમાં આગામી 20મી મેના રોજ બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી ચંડોળા તળાવ અને આસપાસમાં દબાણ કરી રહેતા લોકોને ઘર ખાલી કરવાની એએમસી તંત્રએ સૂચના આપી છે. જેના પગલે બાંગ્લાદેશીઓ સિવાય તમામને મકાન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે મકાનો માટે ત્રણ હજાર ફોર્મનું વિતરણ થયું છે. ફોર્મ ભરીને જરૂરી પુરાવા સાથે પરત કરવા તંત્રએ જણાવ્યું છે.

