ગેરકાયદેસર ધર્માંતરણનું નેટવર્ક ચલાવવાના આરોપસર ધરપકડ કરાયેલા છાંગુર બાબા 100 કરોડની સંપત્તિના માલિક હોવાનું કહેવાય છે. ATS દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે છાંગુર બાબા અને તેમની સંસ્થાઓ સાથે જોડાયેલા ખાતાઓમાં 100 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા છે. ATS એ છાંગુર બાબાના આ કૃત્યનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને EDને આપ્યો છે. હવે આ કેસમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ થઈ શકે છે.

