
ઉદયપુરના સુખેર પોલીસે અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં દેહ વ્યાપારનો પર્દાફાશ થયો હતો. જેમાં રાજકોટના 9 વેપારી સહિત ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા છે. પોલીસે ઇવેન્ટના નામ પર દેહવેપારમાં સંડોવાયેલી 14 યુવતી સહિત 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ યુવતીઓ દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના અન્ય શહેરોથી આવી હતી. જોકે, તમામ આરોપીઓ ગુજરાતના વેપારીઓ હોવાનું સામે આવ્યું છે.