કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા જોવા મળે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે પણ કંઇક આવું જ વલણ અપનાવ્યું છે. ચિદમ્બરમે તાજેતરમાં એક અંગ્રેજી અખબારમાં લેખ લખીને Operation Sindoor અને ભારત-પાકિસ્તાન સિઝફાયરને લઇને કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે. ચિદમ્બરમે 2024 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ તૈયાર INDIA ગઠબંધનના અસ્તિત્ત્વ પર સવાલ ઉભો કરી દીધો છે.

