સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ઝાડા અને ઉલટીના કારણે બે વર્ષના દીકરાનું મોત નિપજ્યું છે. મૃતક બાળકને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યો.

