- નદીમ-શ્રવણે ઠીક ઠીક સૌમ્ય ગણાતા રાગ ઝિંઝોટીમાં 'દિલ હૈ કે માનતા નહીં' ટાઇટલ ગીત સ્વરબદ્ધ કર્યું છે. આઠ માત્રાના (કેટલાક વિદ્વાનોના મતે ચાર માત્રાના) કહેરવા તાલમાં જે સૌમ્ય રીતે આ ગીત પહેલીવાર કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે અને બીજીવાર એકલી અનુરાધાએ ગાયું છે. બંને ગાયકોએ દિલથી જમાવટ કરી છે...

