Rajkot ના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસે સર્જેલા અકસ્માતમાં ચાર લોકોના મોતની ઘટનામાં માત્ર ડ્રાઈવરની જ ધરપકડ થઈ છે. પરંતુ જવાબદાર સામે કોઈ જાતના પગલાં ન લેવાયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ પોલીસ કમિશનર કચેરીએ રામધુન બોલાવી હતી. તેમજ પોલીસ કમિશનર હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ જિલ્લા પંચાયત ચોક ખાતે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

