અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના વરિયાવ રોડ પર મુસાફરો સાથેની બસને અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસના ટાયર ખાડામાં લટકવાં લાગ્યા હતાં. જેથી મુસાફરોમાં ડરનો માહોલ પેદા થયો હતો. 18 મુસાફરો બસમાં સવાર હતાં. તેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.

