આ તે કેવો દુઃખદ સંયોગ! અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું દુઃખદ નિધન થયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ વાતની પુષ્ટિ કરી છે. અમદાવાદમાં બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકોના મોત નિપજ્યાના સમાચાર છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 1206 નંબર સાથે અનોખો નાતો રહ્યો છે. અને આજે તેમનું મોત થયું છે ત્યારે તારીખ પણ 1206 છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણી તેમની તમામ ગાડીઓના નંબર 1206 પાસ કર્યા છે. જ્યારે આજે તારીખ પણ 1206 છે.

