Rajkot news: દર વર્ષે શ્રાવણ મહિનામાં રાજકોટનો લોકમેળો ખૂબ જ પ્રખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી લોકો રાજકોટના મેળાની મુલાકાતે આવતા હોય છે. રાજકોટના પ્રખ્યાત લોકમેળામાં આ વર્ષે મોટી રાઈડ શરૂ થવી લગભગ અસંભવ છે. કારણ કે, 50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર લોકમેળામાં ફોર્મ ભરવાની ત્રીજી મુદત પણ આજે પૂર્ણ થઈ ગઈ છતાં એકપણ રાઈડ્સનું ફોર્મ ન ભરાયું.

